यज्ञशिष्टामृतभुजो यान्ति ब्रह्म सनातनम् ।नायं लोकोऽस्त्ययज्ञस्य कुतोऽन्यः कुरुसत्तम ॥३१॥
एवं बहुविधा यज्ञा वितता ब्रह्मणो मुखे ।कर्मजान्विद्धि तान्सर्वानेवं ज्ञात्वा विमोक्ष्यसे ॥३२॥
હે અર્જુન,યજ્ઞશિષ્ઠ અન્ન ખાનારને સનાતન બ્રહ્મની પ્રાપ્તિ થાય છે.જે એ પ્રમાણે યજ્ઞનું અનુષ્ઠાન નથી કરતા,
તેમને માટે આ મૃત્યુલોક સુખકારક નથી થતો. તો પછી પરલોક તો સુખદાયી ક્યાંથી થાય ? વેદમાં બ્રહ્મા
દ્વારા આવા અનેક યજ્ઞોનું વર્ણન કરવામાં આવ્યું છે.'આ સર્વે યજ્ઞો મન,ઈન્દ્રિય અને શરીર દ્વારા
ફળની ઈચ્છાથી કરવામાં આવે છે' એ પ્રમાણે જાણવાથી તું કર્મબંધનથી મુક્ત થઈશ. (૩૨)