OHM ॐ AUM-SIVOHM
More then 12-Million Views
Sep 20, 2025
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-930
પછી,કલિંગસેનાના મોખરા પર રહેલા શ્રુતાયુષને જોઈ ભીમ તેની સામે ધસ્યો ત્યારે,કલિંગરાજાએ તેના પર બાણો વડે પ્રહાર કર્યો.ક્રોધાયમાન ભીમ 'ઉભો રહે' કહી તેની સામે ધસ્યો.એ વેળાએ ભીમનો સારથી રથ લઈને આવી પહોંચ્યો ને તેને રથમાં બેસાડ્યો.ત્યારે ભીમસેને,સાત બાણોનો પ્રહાર કરીને કલિંગરાજને હણી નાખ્યો ને બે ક્ષુર નામનાં બાણો મારીને કલિંગરાજના રક્ષણ કરનારા સત્યદેવ અને સત્યને મારી નાખ્યા.વળી,નારાચ નામના ત્રણ તીક્ષ્ણ બાણ છોડીને કેતુમાનને પણ યમપુરીમાં વળાવી દીધો.કલિંગના ક્ષત્રિયોએ ભીમની સામે ધસારો કર્યો ત્યારે તેમના શસ્ત્રોનું વારણ કરીને ભીમે ગદા હાથમાં લીધી ને એકદમ આગળ ધસી જઈને બે હજાર યોદ્ધાઓને ને ઘણા કલિંગસૈન્યને મૃત્યુલોકમાં વિદાય કરી દીધા.આ ઘણું નવાઈ જેવું બન્યું.આખું સૈન્ય ભીમસેનના ભયથી ખળભળી ઉઠ્યું.
Sep 19, 2025
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-929
અધ્યાય-૫૪-કલિંગરાજાનો વધ
॥ धृतराष्ट्र उवाच ॥ तथा प्रातिसमादिष्टः कालिंगोवाहिनी पतिः I कथमदभूतकर्माणं भीमसेनं महाबलं ॥१॥
શ્રુતરાષ્ટ્રે પૂછ્યું-હે સંજય,મારા પુત્ર દુયોધને જયારે કલિંગરાજને ભીમસેન સામે મોકલ્યો,ત્યારે તેણે,
હાથમાં યમરાજાની જેમ ગદા લઈને ફરતા ભીમ સામે કેવી રીતે યુદ્ધ કર્યું? તે મને કહે.
સંજયે કહ્યું-સામે,કલિંગોની સેનાને અને તેમની સાથે આવતા નિષાદપતિ કેતુમાનને જોઈને,ભીમ,ચેદીઓને લઈને તેમની સામે ગયો.અને ભયંકર તુમુલ યુદ્ધ શરુ થયું.તે વેળાએ યોદ્ધાઓ પોતાના તથા પારકાઓને જાણી શકતા નહોતા.અન્યોઅન્યનો સંહાર કરતા તે યોદ્ધોએ રણભુમીને લોહીથી ખરડી નાખી હતી.કલિંગોના પ્રમાણમાં થોડા એવા ચેદીઓએ પોતાનું યથાશક્તિ પરાક્રમ બતાવીને ભીમસેનને એકલો છોડીને પાછા હટવા લાગ્યા.ભીમસેન ચારેબાજુથી કલિંગોથી ઘેરાયેલો હતો પણ તે જરા પણ ચલિત થયા વિના કલિંગોની સેનાને તીક્ષ્ણ બાણોથી આચ્છાદિત કરવા લાગ્યો.
Sep 18, 2025
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-928
અધ્યાય-૫૩-દ્રોણાચાર્ય અને ધૃષ્ટદ્યુમ્નનું યુદ્ધ
॥ धृतराष्ट्र उवाच ॥ कथं द्रोणो महेष्वासः पान्चाल्यश्वापिपार्षतः I उभौ समीयतुर्यतौ तन्ममाचक्ष्व संजय ॥१॥
ધૃતરાષ્ટ્રે પૂછ્યું-'હે સંજય,મહાધનુર્ધારી દ્રોણાચાર્ય અને દ્રુપદપુત્ર ધૃષ્ટદ્યુમ્નનો કેવી રીતે સંગ્રામ થયો? રણમાં ભીષ્મ,અર્જુનને જીતી શક્યા નહિ તેમાં,પરાક્રમ કરતાં ભાવિને હું પ્રબળ માનું છું.ભીષ્મ જો કોપ કરીને લડે તો ચર-અચર લોકનો નાશ કરી શકે,ત્યારે તે પોતાના બળથી પાંડવોને યુદ્ધમાં કેમ જીતી શક્યા નહિ? તે મને કહે'
Sep 17, 2025
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-927
અધ્યાય-૫૨-ભીષ્મ અને અર્જુનનું યુદ્ધ
॥ धृतराष्ट्र उवाच ॥ एवं व्युढेष्वनीकेषु मामकेष्वितरेषुच I कथं प्रहरतां श्रेष्ठाः संप्रहारं प्रचक्रिरे ॥१॥
ધૃતરાષ્ટ્રે પૂછ્યું-એ પ્રમાણે મારાં તથા શત્રુઓનાં સૈન્યો ગોઠવાઈ ગયા પછી યોદ્ધાઓ અન્યોન્યને કેવી રીતે પ્રહાર કરવા લાગ્યા?
સંજયે કહ્યું-આવી રીતે વ્યૂહરચનાવાળું સૈન્ય જોઈને દુર્યોધન બધા સૈનિકોને આજ્ઞા કરવા લાગ્યો કે-'હે સૈનિકો,મનમાં દંશ રાખીને યુદ્ધનો પ્રારંભ કરો' તેની આજ્ઞાથી સર્વ યોદ્ધાઓ,પોતાના મનને ક્રૂર કરીને પાંડવોની સામે ધસ્યા.અને રોમાંચજનક તુમુલ યુદ્ધ શરુ થયું.હે રાજન,તમારા અને પાંડવોના રથો અને હાથીઓ પણ સેળભેળ થઇ ગયા.રથીઓએ છોડેલાં તીક્ષ્ણ બાણો એકબીજાને ઘાયલ કરવા ને મારવા લાગ્યા,અનેક લાશો પડવા લાગી.